Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જનકલ્‍યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ઉમેશ મહેતાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૯ : આકાશવાણીના નિવૃત્ત (આસીસ્‍ટન્‍ટ એન્‍જીનીયર) અને જનકલ્‍યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ઉમેશ મહેતાનો કાલે તા. ૧૦ ના ૬૪ મો જન્‍મ દિવસ છે. સમયાંતરે આરોગ્‍ય નિદાન કેમ્‍પ તેમજ ભુજ આશાપુરા માતાજીના દર્શને ચાલીને જતા યાત્રીકો માટે દર નવરાત્રીમાં સેવા કેમ્‍પ કરે છે. રકતદાનના હીમાયતી છે અને અત્‍યાર સુધીમાં ૩૦ વખત રકતદાન કરી ચુકયા છે. ચક્ષુદાન-દેહદાન જનજાગૃતિ અભિયાન ચલાવે છે. શિયાળામાં ધાબળા વિતરણ અને ઉનાળામાં સ્‍લીપર વિતરણ તેમજ છાશ વિતરણની સેવા પણ ચલાવે છે. તેમના મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ છે.  

 

(12:24 pm IST)