Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

આકાશવાણી રાજકોટ કેન્દ્રના સ્ટેશન ડાયરેકટર વસંતભાઈ જોશીનો જન્મદિન

રાજકોટ, તા. ૧૪ :. આકાશવાણી રાજકોટ કેન્દ્રના સ્ટેશન ડાયરેકટર વસંતભાઈ જોશીનો આજે જન્મ દિવસ છે.

વસંતભાઈ જોશી છેલ્લા ઘણા વર્ષોથી આકાશવાણી રાજકોટ કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. આકાશવાણી રાજકોટ કેન્દ્રને ડીઝીટાઈલેઝેશન માટે લઈ જવા માટે તેમનો સિંહફાળો રહ્યો છે. આ ઉપરાંત યુ-ટયુબ ઉપર પણ અનેક કાર્યક્રમો રજુ કરવા માટે વસંતભાઈ જોશી અને આકાશવાણીની ટીમે ખૂબ જ પ્રયત્ન કર્યા છે અને અનેક કાર્યક્રમો યુ-ટયુબ પર જોવા મળી રહ્યા છે. આકાશવાણી રાજકોટ ઉપર નાટકો, કૃષિ વિષયક કાર્યક્રમો, જુદા જુદા ક્ષેત્રના વ્યકિતઓ સાથે મુલાકાત સહિતના અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે.

વસંતભાઈ જોશી તા. ૩૦ જૂનના રોજ નિવૃત થઈ રહ્યા છે. વસંતભાઈ જોશીના આજે જન્મ દિવસ નિમિતે તેમના મોબાઈલ નં. ૯૪૨૬૯ ૮૭૮૮૨ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(4:53 pm IST)