Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જુનાગઢના સેવાભાવી ડો.રાહુલ પંડયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા જુનાગઢ, તા. ૯ : જુનાગઢના સેવાભાવી ડો. રાહુલ અશોકભાઇ પંડયાને આજે ૩૪મો જન્મદિવસ છે.

આજથી ૩૩ વર્ષ પહેલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી અશોકભાઇ પંડ્યા અને કૈલાસબેનને ત્યાં રાહુલભાઇનો જન્મ થયેલ તેઓ બાળપણથી જ અભ્યાસમાં ખુબ હોશિયાર હતા અને તેઓ ડોકટર બની સમાજ સેવા કરવાની ઇચ્છા ધરાવતા ડો. રાહુલ પંડયા (એમ.ડી. ચેસ્ટ ફિગ્રીશ્યન ગોલ્ડમેડાલીસ્ટ) છે તેઓ હાલ હાટકેશ હોસ્પીટલમાં સેવા આપી રહ્યા છે. અને જુનાગઢ ઉપરાંત ગિર સોમનાથ પોરબંદર અમરેલી જિલ્લામાં સૌપ્રથમ ફેફસાના નિષ્ણાંત તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ કોરોના કાળમાં હજારો દર્દીઓને સાજા કર્યા અને ૧૦ થી વધુ દર્દીઓને મોતના મુખમાંથી બચાવી લીધા હતા. આજે તેઓ ૩૩ વર્ષ પુરા કરી ૩૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના શુભેચ્છકો મો. નં. ૯પપ૮૬ ૧૩૩૦૦ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:53 pm IST)