Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જુનાગઢના કેળવણીકાર કનુભાઇ સોરઠીયાનો આજે જન્મદિવસ

જુનાગઢ, તા.,રપઃ આહીર સમાજ અગ્રણી કેળવણીકાર અને નિવૃત પ્રિન્સીપાલ કનુભાઇ સોરઠીયા આજે જીવનના ૭૩ વર્ષ પુર્ણ કરી ૭૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

શિક્ષણ ક્ષેત્રે હાલમાં પણ તેઓ રાજય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી તરીકે કામગીરી સંભાળી રહયા છે. તેઓ જુનાગઢ અને પોરબંદર જીલ્લા પંચાયતના સભ્ય તરીકે રહી ચુકયા છે. હાલમાં તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે તથા સમીક્ષા સાંધ્ય દેૈનીકના તંત્રી તરીકે સેવા આપી રહયા છે. શિક્ષણ ક્ષેત્રે બહોળો ચાહક વર્ગ ધરાવતા તેઓને જન્મદિવસે મિત્રો દ્વારા શુભેચ્છા તેઓનો મો.નં. ૯૮રપર ૩૦૧૩ર ઉપર આપી  રહેલ છે.

(3:41 pm IST)