Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વેરાવળના પીઢ પ્રતિષ્ઠિત આગેવાન ચીમનભાઇ અઢીયાનો જન્મ દિવસ

 પ્રભાસ - પાટણ તા. ર૩ :.. વેરાવળ વખારીયા બજાર એસોસીએશન તથા એજયુકેશન સોસાયટીના ચેરમેન, પીઢ પ્રતિષ્ઠિત આગેવાન ચીમનભાઇ અઢીયા આજ ર૩ જાન્યુઆરીએ પોતાની સફળતમ જીંદગીના ૭૮ વરસ પુર્ણ કરી ૭૯ માં વરસમાં પ્રવેશે છે.

તા. ર૩-૧-૧૯૪ર ના રોજ વેરાવળ ખાતે જન્મેલા તેઓ વરસોથી પ્રજાના પ્રશ્નોની તંત્ર સમક્ષ રજુઆતો કરતા રહે છે અને મોટાભાગના પ્રશ્નોમાં સફળતા પણ મેળવતા રહે છે. સેવા તેનો વારસાગત ગુણ છે.

પ્રતિ વર્ષ વરસોથી વેરાવળથી સોમનાથ સુધીની વરસાદ વરસવા માટેની પ્રાર્થના પદયાત્રાના તેઓ પ્રેરક છે. વહીવટી તંત્ર સાથે સહયોગ - પ્રભાવશાળી રજૂઆતોથી અનેક સુવિધાઓ પ્રજાને અપાવવામાં તેમનું મોટું યોગદાન છે.

તેમના જન્મદિને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ મો. ૯૮રપ૭ ૧૩૭૩પ ઉપર થઇ રહયો છે.

(11:48 am IST)