Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પડધરીના અકિલાના પત્રકાર-અગ્રણી મનમોહનભાઈ બગડાઈનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ જિલ્લાના પડધરીના અકિલાના વરિષ્ઠ પત્રકાર અને જાહેર જીવનના અગ્રણી શ્રી મનમોહનભાઈ બગડાઈનો આજે જન્મ દિવસ છે.

મનમોહનભાઈ બગડાઈ સાથે અકિલાનો દાયકાઓથી પારિવારિક નાતો રહ્યો છે. તેમણે સંખ્યાબંધ ન્યુઝ સ્ટોરીઓ 'બ્રેક' કરી છે.  તેઓ રાજકીય, સામાજિક સમાચારોની સાથોસાથ લોકપ્રશ્નોને પણ વાચા આપી રહ્યા છે.

પડધરી તથા આસપાસના વિસ્તારોમાં મનમોહનભાઈ બગડાઈ માનભર્યુ સ્થાન અને ચાહના ધરાવે છે.

આજે જન્મ દિવસ નિમિત્તે મનમોહનભાઈ બગડાઈના મો. ૯૪૨૬૨ ૫૪૬૭૪ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:31 pm IST)