Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જેની બદલીના વિરોધમાં તોફાન ફાટી નીકળેલ તે

લોકપ્રિય પૂર્વ મ્યુ.કમિશનર એસ.જગદીશનનો જન્મદિન

રાજકોટ તા. ૧પ : નિવૃત સનદી અધિકારી શ્રી એસ.જગદીશનનો જન્મ તા.૧પ જાન્યુઆરી ૧૯પ૩ ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, ઇંગ્લેન્ડ ખાતેના ભારતના મુખ્ય વહીવટી અધિકારી, ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ વિભાગના અગ્રસચિવ, નર્મદા નિગમમાં એમ.ડી.વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૯ર થી ૯૪ તેઓ રાજકોટના કલેકટર પદે હતા.

૧૯૮૭ ના અરસામાં રાજકોટના કમિશનર પદેથી તેમની બદલી થઇ તે વખતે બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નીકળ્યા હતા.ર૦૧૩ માં અગ્રસચિવ પદેથી નિવૃત થયા બાદ હાલ અમદાવાદમાં નિવૃત જીવન ગાળી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૦૦૭ અમદાવાદ

(11:54 am IST)