Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેશોદના જાંબાઝ યુવા પત્રકાર અનિરૂધ્‍ધસિંહ બાબરીયાનો જન્‍મદિવસ

કેશોદ, તા.૨૯: તાલુકાના અજાબ ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા લાઈનમાં સંકળાયેલા કેશોદના પત્રકાર અનિરૂધ્‍ધસિંહ બાબરીયા જેઓ સત્‍યની સાથે ઈલેકટ્રોનીક મિડીયાના લોક પ્રશ્‍નોને વાચા આપનાર નિડર પત્રકારનો તા.૨૯-૦૯-૧૯૯૩ ના રોજ જન્‍મ થયો હતો ને ૨૯ વર્ષ પુરા કરી ૩૦માં વર્ષેમા મંગલ પ્રવેશ કરી રહયા છે તો આ જન્‍મ દિવસે તેમના પરિવારજનો સગા સ્‍નેહીઓ તેમજ બહોળી સંખ્‍યા મા તેમનુ મિત્ર મંડળ વેપારી આલમ તેમજ પોલિસ પરિવાર તરફથી જન્‍મદિવસની શુભ કામનાઓ મળી રહી છે તેજ બતાવે છે તેમની સાચી દિશાની કામગીરીનુ ઉત્‍કૃષ્ટ પરિણામ, ભગવાન તેમને દિર્ઘ, આયુષ્‍ય આપે અને સમાજના વંચિતને છેવાડાના લોકોના પડતરને પ્રાણ પ્રશ્‍નોને ચોથી જાગીરના માધ્‍યમથી વાચા આપવાના પ્રયત કરે.

(10:13 am IST)