Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળના હરનેશ સોલંકીનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૧૦: સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત કર્મચારી અને ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ, રાજકોટના મુખ્ય સંયોજક હરનેશ સોલંકીનો કાલે તા. ૧૧ના જન્મદિવસ છે. તેઓ ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા નવોદિત સાહિત્યકારોને વાર્તાસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વાર્તા શિબિરો દ્વારા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તાજેતરમાં તેઓએ ડી.બી. ફિલ્મ્સના બેનર હેઠળ સિંહ પ્રેમી રમેશ રાવળ ઉપર 'સાવજના' સાચો સાથીદાર રમેશ રાવળ' શોર્ટ ફિલ્મનું પણ નિર્માણ કરેલ. તેમના મો. ૯પ૩૭ર પરર૭૦ છે.

(3:29 pm IST)