Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વાંકાનેર રઘુવંશી સમાજના યુવા અગ્રણી અમીતભાઇ સેજપાલનો જન્મદિવસ

વાંકાનેર : રઘુવંશી સમાજના યુવા અગ્રણી અમીતભાઇ સેજપાલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ર૯ વર્ષ પુરા કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી લોહાણા સમાજની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદની રમતગમત સમીતીના મોરબી જીલ્લાના મંત્રી પદે સેવા આપી રહયા છે.

આ ઉપરાંત વાંકાનેર રઘુવંશી સોશ્યલ ગૃપના ઉપપ્રમુખ પદે રહી સમાજસેવા કરી રહયા છે. તેઓ વાંકાનેર શહેર યુવા ભાજપના પુર્વ મહામંત્રી પદે પણ સારી કામગીરી નિભાવી હતી. વર્તમાન નગર પાલીકાના પ્રમુખ જયશ્રીબેન સેજપાલના તેઓ પુત્ર છે. તા.૯-૯-૧૯૯૦માં જન્મેલા આ યુવા અગ્રણી દ્વારા તાજેતરમાં કોરોના કાળમાં માનવસેવા એજ પ્રભુ સેવાના મંત્રને ધ્યાનમાં રાખી સરકારી હોસ્પીટલમાં અને હોમ કોરોન્ટાઇન થયેલા દર્દી અને તેમના પરીવારને મદદરૂપ થયા હતા.

તેમના પિતા સ્વ.જયસુખભાઇ સેજપાલ પણ સમાજ સેવા માટે તત્પર રહેતા હતા. તેમના જન્મદિવસે મોબાઇલ નંબર ૯૩૭પ૬ ૯૩૭પપ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:04 pm IST)