Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલનો જન્મદિવસ

વાંકાનેર તા.૧ : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ અને પાટીદાર સેવા સમાજના પ્રમુખ પાંજરાપોળ અને ગૌશાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજકોટ નાગરીક સહકારી બેંક લી. વાંકાનેર શાખા વિકાસ સભ્ય અને જસદણ સિરામીક ગૃપ ઓફ કંપનીના મે. ડાયરેકટર પ્રજ્ઞેશભાઇ બેચરભાઇ પટેલનો આજે જન્મદિવસ છે.

તા.૧-૮-૧૯૭૩ ની સાલમાં જસદણ ગામ ખાતે તેમનો જન્મ થયેલ. તેમના પિતા બેચરભાઇ પટેલે ૧૯૮૧ની સાલમાં વાંકાનેર આવી જસદણ સિરામીક વર્કસના નામે ઉદ્યોગ શરૂ કરેલ. પિતાજીના કાર્યમાં પ્રજ્ઞેશભાઇ જોડાઇ સુઝબુઝથી પિતાશ્રીએ સ્થાપેલ વ્યવસાયને આગળ લઇ જવાના ધ્યેય સાથે તેમના બંને ભાઇઓના પણ ઉદ્યોગની લાઇનમાં લાવી વાંકાનેર પંથકમાં ચાર જગ્યાએ સિરામીક ઉદ્યોગ સાથેનું જસદણ સિરામીક ગૃપ વિશાળ સ્તરે પહોચાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પ્રજ્ઞેશભાઇ પટેલએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના એવોર્ડ પણ મેળવ્યા છે.

જીઆઇડીસી એશો., લાયન્સ કલબ ઇન્ટરનેશનલ, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ રાજકોટ સમર્પણ ચેરી. ટ્રસ્ટ, રાજકોટ કલબ યુવી બિઝનેશ વીંગ જેવી અનેક સંસ્થાઓના કારોબારી સભ્ય તથા સક્રિય સભ્યપદ ધરાવે છે. કોરોના મહામારી દરમિયાન વાંકાનેર અને રાજકોટ વિસ્તારમાં તન મન ધનથી મહત્વનું યોગદાન આપેલ છે. મો. ૯૮૨૫૨ ૨૨૮૫૫ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:40 am IST)