Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ઉપલેટાઃ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાનો કાલે જન્મદિન

ઉપલેટા,તા.૧: પરિવારના રણુભા જાડેજા બાપુના નામથી આપણે કોઈ પણ અજાણ હશુ નહી.જેમની સેવાની સુવાસ આજુબાજુના પંથકમા હર હંમેશ પ્રજવલિત રહે છે. તેવા રણુભા જાડેજાના પુત્રો પણ પરોપકારના કાર્યમાં હંમેશા આગળ હોય છે. રણુભા જાડેજાના દિકરા અને શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાનો કાલે જન્મદિવસ છે.

આ જન્મદિવસ ઉપલેટા શહેરમાં ૨૩ વર્ષથી અનેક દીન દુખિયાની સેવા કરતા માનવ સેવાના ભેખધારી લાલજીભાઈ રાઠોડના અન્નક્ષેત્રમાં કાલનો ભોજન માટેનોઙ્ગ સંપૂર્ણ ખર્ચ પોતે આપશે.કાલે ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી ગરીબ દર્દીઓ નિરાધાર વૃધ્ધો પ્રસૂતા બહેનો ગરીબ બાળકો તેમજ અનેક જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવશે તેમનો સંપૂર્ણ ખર્ચ પોતે આપશે. અને સાચા અર્થમાં પોતાનો જન્મદિવસ યાદગાર બનાવશે.

(11:40 am IST)