Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એડવોકેટ એન્ડ નોટરી જે. એમ. કુવાડીયાનો જન્મદિન : ૩૮ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૯ : મુળ જસદણ તાલુકાના જંગવડના અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવા એડવોકેટ જે. એમ. કુવાડીયાનો આજે જન્મ દિવસ છે.  રેવન્યુ ક્ષેત્રે સારી પ્રેકટીસ ધરાવતા શ્રી કુવાડીયા આર.ડી.સી. બેન્ક ઉપરાંત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, રોહા હાઉસીંગ ફાઇનાન્સ પ્રા.લી., મેન્ટોર હોમ લોન્સ ઇન્ડિયા લી., રાજકોટ નાગરીક સહકારી બેંક, આધાર હાઉસીંગ ફાયનાન્સ, બેંક ઓફ બરોડા, ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. અક્ષરનિધિ શરાફી મંડળીના ડીરેકટર છે. જય દ્વારકાધીશ એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ જંગવડના પ્રમુખ હોવા સાથે અન્ય સેવાકીય સંસ્થાઓમાં પણ જોડાયેલા છે. હાલમાં જ તેઓની એડવોકેટ એન્ડ નોટરી તથા ઇ-સ્ટેમ્પીંગ સેવામાં તેમની નિમણુંક થયેલ છે. યશસ્વી જીવનના ૩૮ માં વર્ષમાં પ્રવેશી રહેલ એડવોકેટ જે. એમ. કુવાડીયા (મો.૯૬૨૪૫ ૫૫૫૫૭) ને આજે જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:26 am IST)