Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કૃષિના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારનો જન્મદિન

રાજકોટઃ રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર (આઇ.એ.એસ ૧૯૮પ) નો જન્મ તા. ર૮ જુલાઇ ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તા. ૩૧મીએ તેઓ નિવૃત થનાર છે.

મૂળ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ભટારિયા ગામના વતની શ્રી પી. કે. પરમાર અગાઉ કચ્છમાં કલેકટર, રાજયમાં કુટિર ઉદ્યોગ કમિશનર, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સભ્ય સચિવ, એસ.ટી. નિગમના એમ. ડી., રાહત કમિશનર, પંચાયત, વન પર્યાવરણ, આરોગ્ય વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૧ર૩ ગાંધીનગર.

(2:59 pm IST)