Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જી.એ.ડી. સેકશન અધિકારી અશ્વિન જાટીયાનો જન્મદિનઃ વન પ્રવેશ

રાજકોટઃ આહીર સમાજના અને મુળ રાજકોટના વતની અને હાલ સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતાં અશ્વિન જયહિન્દભાઈ જાટીયાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૯૯૦થી સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવે છે. આહીર સમાજના શૈક્ષણિક અને સામાજીક વિકાસ માટે તેઓ વિદ્યાર્થી કાળથી જ પ્રયત્નશીલ છે. પાટનગરમાં પણ આહીર યુવા ફોરમ, ગાંધીનગરની સ્થાપના કરીને સતત ૨૨ વર્ષથી સમાજના તારલાઓને પ્રોત્સાહન આપતાં આવ્યા છે. શ્રી જાટીયાને મો.૯૮૨૪૬ ૩૯૩૭૫ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(12:46 pm IST)