Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મજુર કાયદાની ધારાશાસ્ત્રી-નોટરી અનિલભાઇ ગોગીયાનો જન્મદિવસ

રાજકોટ,તા.૨૭: રાજકોટના જાણીતા અને મજુર કાયદાના નિષ્ણાંત એડવોકેટ તેમજ નોટરી અનિલ સંતોષકુમાર ગોગિયાનો આજે તા. ૨૭/૬/૨૦૨૦ના રોજ જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી વકીલાત ક્ષેત્રમાં કાર્યરત છે. તેમજ મજુર તેમજ દીવાની કાયદાઓમાં નિપુણતા ધરાવે છેે વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં કાનુની સલાહકાર તેમજ પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે.

તેઓ 'ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શીયલ એસ્ટાબ્લીશમેન્ટ એશોસીએશન' રાજકોટના સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે.

છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સરકારશ્રી દ્વારા તેઓની આસીસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર તેમજ  એડીશનલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં નિમણુક કરવામાં આવેલ છે. મદદનીશ સરકારી વકીલ તરીકે મજુર અદાલત તેમજ ઔદ્યોગીક અદાલત રાજકોટમાં આશરે ત્રણસો જેટલા કેશોનો નિકાલ કરેલ છે.

સ્વભાવે મીલનસાર તેમજ ખુબ જ મોટો મિત્ર વર્ગ ધરાવે છે. આજરોજ તેમના જન્મદિવસે વિવિધ ક્ષેત્રોની વ્યકિતઓ મિત્રો, સગા સંબંધીઓ સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ વકીલ મિત્રો તરફથી તેમના મો. નં. ૯૮૨૫૭ ૭૬૬૭૭ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(3:22 pm IST)