Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

જનકલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ રીન્કુભાઇ મૈયડનો જન્મ દિવસ : ૪૩ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૬ : જાણીતા કેળવણીકાર નિવૃત્ત શિક્ષક અને ધારાશાસ્ત્રી શ્રી સવજીભાઇ ડી. મૈયડના પુત્ર અને જનકલ્યાણ ટ્રસ્ટ મવડીના પ્રમુખ રીન્કુભાઇ મૈયડનો આજે જન્મ દિવસ છે. રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ એવા રીન્કુભાઇ વ્યવસાયે ગીરધારા ફાર્મ (દેવગામ) સાથે સંકળાયેલા છે અને ગીર ગાય સંવર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે રહે છે. સફળ જીવનના ૪૩ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૬૩૫૨૦ ૩૨૦૦૬ છે.

(11:21 am IST)