Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ રાજદિપસિંહ ગોહિલનો જન્મ દિવસ

જૂનાગઢ, તા. ૨૩ :. ભાવનગર જીલ્લાના હોઈદડના વતની હાલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.કે. ગોહિલનો આજે ૩૧મો જન્મ દિવસ છે.

તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત ગુન્હાઓના ડીટેકશન કરવામાં અનોખો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ રાજકોટ રૂરલના વિરપુર અને જેતપુરમાં ફરજ બજાવી અનેક અણઉકેલ હત્યાના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ ત્યાર બાદ જૂનાગઢ સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી અને ક્રાઈમ બ્રાન્ચમાં મુકાતા તેઓ હાલ એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે અને તાલુકામાં થયેલ ૬ કરોડના સોનાની લૂંટ સહિતના અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ કબ્જે કરવાનો શ્રેય પણ શ્રી ગોહિલને મળેલ. આજે તેઓ ૩૦ વર્ષ પુરા કરી ૩૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના શુભેચ્છકો મો. નં. ૯૯૨૫૩ ૮૨૯૧૮ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:45 pm IST)