Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમરેલીના ભુતપુર્વ સાંસદ નવીનચંદ્ર રવાણીનો જન્મદિન

સુપ્રસિધ્ધ સ્વાંત્ર્ય સેનાની અને સમાજ સેવકનો ૯રમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : અમરેલીના કોંગ્રેસના ભુતપુર્વ સંસદસભ્ય શ્રી નવીનચંદ્ર રવાણીનો જન્મ ૧૯૩૦ ના વર્ષની ર એપ્રિલે થયેલ. આજે યશસ્વી જીવનના ૯રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ ઉપરાંત બે વખત (૧૯૮૦ થી ૧૯૮૯) સંસદસભ્ય તરીકે રહ્યા હતાં. રાજય સરકારમાં આયોજન અને આવાસ વિભાગના નાયબ મંત્રી તરીકે રહી ચૂકયા છે. આઝાદીની લડતમાં પણ તેમનું યોગદાન છે. જાહેર જીવનમાં મુલ્યોના માનવી તરીકે જાણીતા છે.

મો. ૯૮૭૯૬ ૧૧૭૮૮ અમદાવાદ.

(11:33 am IST)