Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

એડવોકેટ અતુલકુમાર સંઘવીનો જન્મદિવસ : ૬૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : જાણીતા એડવોકેટ અતુલકુમાર રમણિકલાલ સંઘવી આજરોજ  જીવનયાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

 તેઓ રાજકોટના જ વતની છે. તેઓનો જન્મ ૩૦/૩/૧૯૬૧ નારોજ થયેલ હતો. રાજકોટમાં કુંડલીયા કોલેજ માં બી.કોમ. પૂર્ણ કર્યા બાદ રાજકોટ ની એ.એમ.પી.ગવર્નમેન્ટ લો કોલેજ માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૮૩ માં એડવોકેટ તરીકે પ્રેકટીસ નો પ્રારંભ કરેલ હતો. ૩૭ વર્ષ ની લાંબી વકીલાત ના વ્યવસાય ની કારકિર્દીમાં તેઓ હાલમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ૪૫ જેટલી સરકારી;સહકારી;અને ખાનગી બેંકોમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. તેમજ કોર્પોરેટ ફાયનાન્સ કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપે છે. રાજકોટ પોલીસ ના ટ્રાફિક જાગૃતિ માટે કો-ઓર્ડીનેટર તરીકે તેમજ રાજકોટ પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીમાં પણ સેવા આપી રહ્યા છે. પ્રોજેકટ્સ માં હંમેશા અગ્રેસર રહે છે. અતુલકુમાર સંઘવીને મો.૯૭૩૭૦ ૧૦૧૧૧ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:19 pm IST)