Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વાંકાનેરના સિનીયર પત્રકાર મહંમદભાઇ રાઠોડનો કાલે જન્મદિવસ

વાંકાનેર, તા., ર૩: વાંકાનેરના અકિલાના સિનીયર પત્રકાર અને વિક્રેતા મુસ્લિમ સમાજના આગેવાન, રાજય સરકાર દ્વારા સંચાલીત ધાર્મિક સંસ્થા હઝરત શાહબાવા ટ્રસ્ટના ડીરેકટર  મહંમદભાઇ રાઠોડ (ઘાંચી)નો કાલે જન્મદિવસ છે. તા.ર૪-૧૧-૧૯૪૭ના વાંકાનેરમાં જન્મેલા મહંમદભાઇ આર.રાઠોડ ૭પ માં વર્ષમાં પ્રવેશ કરશે.
સાંધ્ય અખબાર ‘અકિલા’ દૈનિકમાં તેઓ ૧૯૮૦થી જોડાયા હતા. જયારે અકિલાની કોપીનું મુલ્ય માત્ર ૧૦ પૈસા હતું. એ સમયમાં સાંજનું અખબાર એ સાવ નવો પ્રયોગ અને સાહસ હતું. શું સાંજનું અખબાર લોકો વાંચશે? એ દ્વિધા પણ સમાયેલી હતી. આજે એ જ સાંજનું અખબાર ટોપ પર સ્થાન પામેલું છે. આવી અનેક યાદવાસ્થળીને તાજી કરતા અને બહોળા અનુભવનું ભાથુ ધરાવતા વાંકાનેરના સિનીયર પત્રકાર મહંમદભાઇ રાઠોડ ૭પમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે પણ શારીરીક-માનસીક સ્વસ્થતાનો દાખલો પુરો પાડે છે. તેઓના મો.નં. ૯રર૮પ ૬ર૪ર૬.

 

(11:55 am IST)