News of Thursday, 6th August 2020
આજના શુભ દિવસે - 665
મન
મનનું બીજું રૂપ બે રિસાયેલા બાળક જેવું છે. એને તમે ગમે તેટલું આપો તો પણ એની રીસ જતી નથી એ હંમેશા અધૂરપ અનુભવે છે અને વધુને વધુ લાડ કરતું રહે છે અને માણસ એને સતત લાડ કરાવતો રહે છે. જે માણસ મનના આવા લાડ ઓછા કરે, એ જ સમય જતા મનને કાબૂમાં રાખી શકે છે.
માત્ર સવાલ એ છે જે મન કયાંક સ્થિર થઇને બેઠુ હોય છે. મનના અનેક રૂપ છે અને વાસના, સ્વાદ, સ્પર્શ વગેરે આ મન સતત વધુને વધુ માંગતું રહે છે. પ્રકૃતિમાં જેને રસ હોય-એમાં એનું મત સ્થિર રહે છે. આ સાવ સ્વાભાવિક બાબત છે. સાચા મહાન માણસને ઇજ્જત 'લણવામાં' નહીં, પણ ઇજ્જત 'રળવામાં' રસ હોય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:41 am IST)