News of Saturday, 29th January 2022
આજે સાંજે ૬ : ૩૦ વાગ્યાથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે કવાર્ટર ફાઇનલ મુકાબલો
આઇસીસી અન્ડર-૧૯ વર્લ્ડકપમાં
નવી દિલ્હીઃ આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપની કવાર્ટર ફાઈનલ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને રાહતના સમાચાર મળ્યા છે. ટીમના કેપ્ટન યશ ધૂલ સહિત પાંચ ખેલાડીઓ કોરોના મહામારીમાંથી સ્વસ્થ થઈ ગયા છે અને આજે શનિવારે સાંજે ૬ઃ૩૦ વાગ્યાથી બાંગ્લાદેશ સામેની મેચમાં રમવા ફીટ છે. આયર્લેન્ડ સામેની બીજી ગ્રુપ મેચ પહેલા સંક્રમિત થતાં કેપ્ટન યશ ધૂલ, આરાધ્યા યાદવ, વાઇસ કેપ્ટન શેખ રાશિદ, વાસુ વત્સ અને સિદ્ધાર્થ યાદવને સાત દિવસ સુધી ત્રિનિદાદમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તેની ગેરહાજરીમાં,બે મેચમાં નિશાંત સિંધુએ ટીમની કમાન સંભાળી હતી.
(3:26 pm IST)