ખેલ-જગત
News of Tuesday, 24th November 2020

રૈનાએ ૩૪માં જન્મદિને ૩૪ સરકારી સ્કૂલોને દત્તક લીધી

સુરેશ રૈનાએ ગઇ કાલે પોતાના ૩૪માં જન્મદિવસે ઉતર પ્રદેશ, જમ્મુ અને નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)ની ૩૪ સરકારી સ્કૂલોને દત્તક લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત તે અંદાજે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાથી માંડીને સેનિટાઇઝેશન અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

(2:34 pm IST)