૨૦૨૧માં ધોની જ કેપ્ટન રહેશેઃ ચેન્નઈની જાહેરાત
હાલમાં ચાલી રહેલી આઈપીએલમાં ચેન્નઈ એના અત્યાર સુધીના સૌથી ખરાબ પર્ફોર્મન્સ કરીને ટુર્નામેન્ટમાંથી સૌથી પહેલી આઉટ થનાર ટીમ બની છે. ચેન્નઈ અને કેપ્ટન ધોનીના નબળા પર્ફોર્મન્સને લઈને ચર્ચા થવા માંડી છે કે ધોનીની આ છેલ્લી આઈપીએલ છે અને મેનેજમેન્ટે પણ નવી તૈયારી શરૂ કરી દીધી છે.
જો કે ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને ભારપૂર્વક કહ્યું હતું કે આઈપીએલ ૨૦૨૧માં પણ ધોની જ સીએસકે ટીમનો કેપ્ટન રહેશે. મને પૂરો ભરોસો છે કે ૨૦૨૧માં ધોની જ સીએસકે ટીમનો કેપ્ટન રહેશે. મને પૂરો ભરોસો છે કે ૨૦૨૧માં ધોની જ ટીમની કપ્તાની કરશે.
તેના નેતૃત્વ હેઠળ ટીમ ત્રણવાર ચેમ્પિયન બની છે. આ પહેલી સીઝન છે જેમાં ટીમ પ્લે- ઓફ માટે કવોલિફાય નથી થઈ શકી. એવી કોઈ ટીમ નથી જેનોા આઈપીએલમાં ચેન્નઈ જેટલો દમદાર પર્ફોર્મન્સ રહ્યો હોય. એક ખરાબ સીઝનનો મતલબએ નથી કે અમે બધું બદલી નાખીએ.