ખેલ-જગત
News of Wednesday, 16th September 2020

એક ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સદાશિવ રાવજી પાટિલનું નિધન

મુંબઈઃ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પૂર્વ ક્રિકેટર સદાશિવ રાવજી પાટિલનું કોલ્હાપુર સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા.

પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રીઓ છે. કોલ્હાપુર ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારી રમેશ કદમે જણાવ્યું હતું કે, કોલ્હાપુરની રૂઇકર કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને તેમનું (પાટીલ) નિધન થયું હતું.

૧૯૫૫ માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પાટિલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે આ પછી તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહીં. પાટિલે ૧૯૫૨-૧૯૬૪ની વચ્ચે મહારાષ્ટ્રની ૩૬ પ્રથમ-વર્ગની મેચોમાં ૮૬૬ રન બનાવ્યા હતા અને ૮૩ વિકેટ લીધી હતી. તેમણે રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્રની અધ્યક્ષતા પણ લીધી હતી.

(3:34 pm IST)