રાહુલને હવે પંજાબની ટીમમાંથી રમવુ નથીઃ હરાજીમાં પોતાનું નામ મોકલશે
નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સનો પ્રવાસ ખાસ રહ્યો નથી. ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. જોકે ટીમના કેપ્ટન કેએલ રાહુલે જબરદસ્ત પ્રદર્શન કરતા ૧૩ મેચમાં ૬૨૬ રન બનાવ્યા હતા. હાલમાં તે ઓરેન્જ કેપ માટેની રેસમાં અગ્રેસર છે.
જોકે, હવે રાહુલ પોતાને પંજાબની ટીમથી અલગ કરવા માંગે છે. ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, રાહુલ આવતા વર્ષે પંજાબ કિંગ્સ તરફથી નહીં રમે. રિપોર્ટમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે તે કદાચ મેગા હરાજીમાં પોતાની જાતને ધકેલશે. આગામી સિઝનમાં મેગા હરાજી યોજાવાની છે.પહેલાના નિયમ મુજબ તમામ ટીમો આમાં માત્ર ત્રણ ખેલાડીઓને જ રાખી શકે છે. બાકીના બધાએ હરાજીમાં જવું પડશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ઘણી ફ્રેન્ચાઇઝીઓએ રાહુલનો સંપર્ક પણ કર્યો છે. તેમણે રાહુલને તેમની સાથે જોડાવવા માટે પણ રસ દાખવ્યો છે. જો રાહુલ પંજાબ કિંગ્સથી અલગ થઈ જાય, તો ૨૯ વર્ષીય આઈપીએલની આગામી હરાજીમાં મોટો બિડર બની શકે છે. તે વર્ષોથી ટી ૨૦ ફોર્મેટમાં શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.