ખેલ-જગત
News of Saturday, 3rd February 2018

વિજય હજારે ટ્રોફીમાં પંજાબની સુકાન હરભજનના હાથમાં

નવી દિલ્હી: ભારતના દિગ્ગ્જ ઓફ સ્પિનર હરભજન સિંહ કર્ણાટકના અલુરમાં રમનાર વિજય હજારે ટ્રોફી એકદિવસીય ટુર્નામેન્ટમાં પંજાબની સુકાન સંભાળશે.

7થી 16 ફેબ્રુઆરી વચ્ચે યોજાનાર આ ટુર્નામેન્ટ માટે યુવરાજ સિંહ ઉપક્પ્તાન રહશે.પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માની અનુગાઈ વળી પીસીએ સિનિયર પંસન્દગી ટીમે આ ટીમની પસંદગી કરી છે,ટીમમાં અંડર-19 વિશ્વ કપ ટીમના હીરો શુભમં ગિલને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ટીમમાં હરભજન સિંહ(કપ્તાન),યુવરાજ સિંહ(ઉપક્પ્તાન),મનન વોહરા,મનદીપ સિંહ, ગુરકિરત સિંહ માન, અભિષેક ગુપ્તા,ગીતાંશ ખેડા, સિદ્ધરાથ કોલ, સંદીપ શર્મા, અભિષેક ગુપ્તા, શુભમં ગિલ, મનપ્રિત સિંહ,ગ્રેવાલ, બરિન્દર સિંહ સીરા, મયંક માર્કડે અને શરદ લુમ્બાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(4:42 pm IST)