Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

IPL પૂરી કર્યા બાદ રોહિત શર્મા પરિવાર સાથે રજાઓ ગાળવા પહોંચ્યો માલદીવ : પત્ની રિતિકા સાથેની તસવીર શેર કરી

નવી દિલ્હી: ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પરિવાર સાથે રજાઓ ગાળવા માટે IPL 2022 પુરો કરીને માલદીવ પહોંચી ગયો છે. રોહિતે પોતાના સોશિયલ મીડિયા પર વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી હતી. IPL 2022માં ન તો રોહિત શર્મા બેટિંગ કરી શક્યા ન તો ટીમ સારૂ પ્રદર્શન કરી શકી. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત, મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલના તળિયે (10મા નંબરે) લીગ સ્ટેજ પૂરો કર્યો. તે જ સમયે, આ સિઝનમાં રમાયેલી 14 મેચોમાં, હિટમેનના બેટમાંથી 20 કરતા ઓછી સરેરાશથી માત્ર 268 રન જ બન્યા હતા.

(8:08 pm IST)