Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ટીમને જરૂર હોય ત્‍યારે જ વિરાટ, રોહિત, રાહુલ રન નથી બનાવતા

નિડર બની રમો, રન બનાવો : કપિલ

નવી દિલ્‍હી : રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતીય ટીમના સ્‍ટાર ખેલાડી છે. જે પોતાની મજબૂત બેટીંગ માટે જાણીતા છે. પરંતુ આ ખેલાડીઓએ ટી-૨૦ ફોર્મેટમાં આક્રમક બેટીંગ કરી નથી. જેના કારણે તેની સ્‍ટ્રાઈક રેટ ઘણો નીચે ગયો છે. કપિલ દેવ એવુ માને છે કે આ ખેલાડીઓની જગ્‍યાએ યુવા ખેલાડીઓને ધ્‍યાનમાં લેવા જોઈએ.

કપિલે કહ્યું આ બધા મોટા નામ છે અને ત્રણેય પર દબાણમાં જે ન થવુ જોઈએ. તમારે નિર્ભયતાથી ક્રિકેટ રમવુ જોઈએ. આ ત્રણેય એવા ખેલાડીઓ છે જે ૧૫૦-૧૬૦ના સ્‍ટ્રાઈક રેટ સાથે સ્‍કોર કરી શકે છે. જયારે અમારે મોટો સ્‍કોર કરવાની હોય ત્‍યારે તે આઉટ થાય છે. મોટો સ્‍કોર બનાવવો પડશે. ટીમ સાથે સતત સારૂ પ્રદર્શન કરવુ પડશે.

(3:04 pm IST)