Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

આ કારણોસર સાઈન નેહવાલ નહીં રમે એશિયન ટુર્નામેન્ટમાં

નવી દિલ્હી:ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે તારીખ ૬ થી ૧૧ ફેબુ્રઆરી દરમિયાન મલેશિયામાં યોજાનારી એશિયન ટીમ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભાગ ન લેવા માટે રજુઆત કરી હતી. જોકે બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તેની માગણીને ફગાવી દીધી છે. મલેશિયામાં યોજાનારી ટુર્નામેન્ટ એ ઉબેર કપની ક્વોલિફાયર છે. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાયના ઘુંટીની ઈજામાંથી બહાર આવ્યા બાદ હાલ ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં રમી રહી છે. તેણે બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાને પત્ર પાઠવીને વિનંતી કરી હતી કે, તેને મલેશિયામાં ૬ થી ૧૧ ફેબુ્રઆરી દરમિયાન યોજાનારી એશિયન ટીમ ચેમ્પિયનશીપ માટેની ટીમમાં સામેલ કરવામાં ન આવે. જોકે બેડમિંડન એસો. ઓફ ઈન્ડિયાએ સાયનાને જણાવ્યું હતુ કે, તારે તારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં સુધારો કરવાની જરુર છે. જો ભારત આ ટુર્નામેન્ટમાં તેની સૌથી મજબુત ટીમ નહિ ઉતારે તો ટીમ ઉબેર કપ-થોમસ કપના વર્લ્ડ ગુ્રપમાંથી બહાર થઈ જશે.

 

 

(4:45 pm IST)