Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

હું અત્‍યારે સોેથી આનંદિત તબક્કો માણી રહ્યો છું શાષાી મને નજીકથી જાણે છેઃકોહલી

નવી દિલ્‍હીઃ ગુજરાત ટાઇટન્‍સ સામેની મેચ પહેલાંના વિરાટ કોહલીના નબળા ફાર્મને કારણે અને વારંવારની નિષ્‍ફળતાને લીધે તેના અસંખ્‍ય ચાહકો હતાશ હતા, પરંતુ ખુદ કોહલીએ ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું કે વાસ્‍તવમાં હું અત્‍યારે મારા જીવનનો સોેથી સુખદ તબક્કો માણી રહ્યો છું. મારો આ પરિવર્તનનો સમય ચાલે છે.માનસિક રીતે ફરી ઉર્જાત્‍મક થઇને પાછો જોશીલો બનવા બ્રેક લેવા તૈયાર છું. ક્રિકેટ પ્રત્‍યે મારામાં પ્રબળ ઇચ્‍છાશકિત પહેલા જેવી જ છે અને એવી જ રહેશે. જે દિવસે મારામાંથી એ ઇચ્‍છાશકિત જતી રહેશે એ દિવસે હું રમવાનું બંધ કરી દઇશ. જોકે અમુક બાબતો આપણા હાથમાં નથી હોતી, કાબૂની બહાર હોય છે.તનતોડ મહેનત કરવી એ આપણા હાથમાં હોય છે.અને એ રીતે હું અત્‍યારે સોેથી વધુ સંતુલિત સ્‍થિતિમાં છુ અને અત્‍યારે ક્રિકેટમાં તેમજ અંગત જીવનમાં જેકંઇ સ્‍થિતિમાં છું એમાં એકદમ ખુશ છું.

મારે બ્રેક લેવો જોઇએ એવું માત્ર એક  જ જણ કહી રહ્યું છે અને એ છે રવિભાઇ(રવિ શાષાી).એનું કારણ એ છે કે છેલ્લા  ૬-૭ વર્ષમાં તેમણે મારી કરીઅરને ખૂબ નજીકથી જોઇ છે. હ઼ૂ જે સ્‍થિતિમાંથી પસાર થઇ રહ્યો છુ એની હકીકત તેઓ સોેથી વધુ જાણે છે. 

(4:23 pm IST)