Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાનાર T20 સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર :12 માર્ચથી મુકાબલો શરૂ થશે

વિરાટ કોહલી કપ્તાન: હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શિખર ધવનને સ્થાન : ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, સુંદર, રાહુલ તિવેટિયા, ટી.નટરાજનનો પણ સમાવેશ

અમદાવાદ :ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે 12 માર્ચથી રમાનારી T-20 સિરિઝની પાંચેય મેચ અમદાવાદમાં રમાશે. ત્યારે આ સિરિઝ માટે ભારતીય ટીમને જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીની કપ્તાન હશે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શિખર ધવન, શ્રેયર અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઇશાન કિશન, ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, સુંદર, રાહુલ તિવેટિયા, ટી.નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(10:12 pm IST)