Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ચેન્નઈને રૈના અને ભજ્જીની કમી વર્તાશે

સુરેશ રૈના અને હરભજન સિંહ જેવા અનુભવી ખેલાડીઓ આ આઇપીએલ સીઝનમાં પર્સનલ કારણસર નથી રમી રહ્યા. ડીન જોન્સને લાગે છે કે રૈનાની ગેરહાજરી ચેન્નઈ માટે ચિંતાનો વિષય છે. જોન્સે આ બાબતે કહ્યું હતું કે રૈના આઇપીએલમાં સૌથી સફળ બેટ્સમેનમાંનો એક છે. બીજું તે લેફ્ટી છે અને સ્પિનરને ખૂબ જ સારી રીતે રમી જાણે છે. ચેન્નઈની કમજોરી એ છે કે તેમના મોટા ભાગના બેટ્સમેનો રાઇટી છે. ચેન્નઈએ રૈનાનો યોગ્ય વિકલ્પ શોધી કાઢવાની તાતી જરૂર છે.

(3:27 pm IST)