News of Monday, 16th May 2022
નવીદિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, કેએલ રાહુલ, વિકેટકીપર ઋષભ પંત અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી-૨૦ શ્રેણી માટે આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. ભારતે ૯ જૂનથી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.ટીમની કપ્તાની શિખર ધવન અને હાર્દિક પંડ્યામાંથી કોઈ એકને સોંપવામાં આવી શકે છે. જો કે તે પણ બહાર આવ્યું છે કે હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે શંકાઓ છે પરંતુ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરવાની તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેના પર વિશ્વાસ કરી શકાય છે.આ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલ બાદ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જ્યારે અનેક યુવા ખેલાડીઓને તક આપવાની વાત ચાલી રહી છે.
અહેવાલો અનુસાર પસંદગી સમિતિની બેઠક ૨૩ મેના રોજ મુંબઈમાં યોજાશે. ૨૫ મે સુધીમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. ચેતન શર્માની આગેવાની હેઠળની ટીમ રોહિત શર્માને રૂબરૂ મળી શકે છે. જેમાં વિરાટ કોહલીના બ્રેક અને કેટલાક સિનિયર ખેલાડીઓની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે. હાર્દિક પંડ્યાની વાપસી અંગે પણ ચર્ચા થશે. ટીમ ૯ જૂને પ્રથમ ટી-૨૦ માટે દિલ્હી જશે. આ પહેલા ટીમ ૪ જૂને એનસીએ ખાતે કેમ્પ માટે એકત્ર થશે.ભારતે દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમવાની છે. આ શ્રેણીમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, જસ-ીત બુમરાહ, પંત અને કોહલીને આરામ આપવામાં આવી શકે છે. જે બાદ ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન વિશે ઘણા નામો સામે આવી રહ્યા છે. જેમાં શિખર ધવન અને હાર્દિક ધવન સૌથી આગળ છે.
દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં, પસંદગીકારો આગળના બીજી -ોગ્રામને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા, કેએલ રાહુલ, જસિ-ત બુમરાહ, પંત અને કોહલીને આરામ આપી શકે છે, આવી સ્થિતિમાં, ધવન અથવા હાર્દિક તેમની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. હાર્દિકે આઈપીએલમાં પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. આ સિવાય ભારતે આ પછી આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણી પણ રમવાની છે.
ભારતના વરિષ્ઠ ખેલાડીઓ વિશે વાત કરતા, ગ્ઘ્ઘ્ત્ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેઓને ઓછામાં ઓછા સાડા ત્રણ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ મળશે. રોહિત, વિરાટ, કેએલ, ઋષભ અને જસપ્રિત મર્યાદિત ઓવરોની શ્રેણી અને પાંચમી ટેસ્ટ માટે સીધા ઈંગ્લેન્ડ જશે. ઈંગ્લેન્ડની શ્રેણીને ધ્યાનમાં રાખીને અમે આ ખેલાડીઓને આરામ આપી રહ્યા છીએ જેથી કરીને તેઓ ફ્રેશ થઈ શકે.