Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કુસ્તીઃ બજરંગ પુનીયા,વિનેશ ફોગાટ, રવી દહીયા અપાવી શકે છે પદક

નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ ઓલમ્પીક રમોત્સવમાં ભારતને કુસ્તીએ જ ચંદ્રક અપાવ્યા છે. આ વખતે પણ ભારતીય પહેલવાનો વધુ એક વખત ચંદ્રક અપાવી શકે છે. બજરંગ પુનીયા, રવી દહીયા અને મહિલા વર્ગમાં વિનેશ ફોગાટ ચંદ્રક મેળવી શકે છે તેવું ભુતપુર્વ કાસ્યપદક વિજેતા યોગેશ્વર દતનું માનવું છે. દરેક પહેલવાનની લડવાની શૈલી અને ક્ષમતા અલગ-અલગ હોય છે. ભારતીય પહેલવાન પોતાની શૈલીને વધુ મજબુત બનાવશે તો વધુ ફાયદો થશે.

અંશુ મલ્લીક, સોનમ અને દિપક યુવા વર્ગમાં ચમત્કાર દેખાડી શકે છે. દતનું કહેવું છે કે ચંદ્રક જીતવાનો ભાર માથે રાખ્યા વગર જો તેઓ રમશે તો ચોક્કસ સફળ થશે. ઓલમ્પીકમાં કોઇ પણ ખેલાડી પોતાના ઉપર દબાવ હાવી થવા ન દે. તે જીતી શકે છે. બજરંગ, રવી અને વિનેશને ઘણો અનુભવ છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રક જીતી રહયા છે. આ ત્રણેય પાસે ટોકયોમાં પદક જીતવાનો સારામાં સારો મોકો છે.

(2:37 pm IST)