Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમે અંત સુધી લડયા, કયારેય હાર માની નથી, ફેન્સનો આભાર

મેચ હાર્યા બાદ આરસીબીનું ટવીટ

 શારજાહઃ ગઇકાલે એલીમીનેટર મેચમાં કોલકતા સામે આરસીબીના મેચ હાર્યા બાદ ક્રિકેટ એકસપર્ટથી લઇને ફેન્સ સુધી બધા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાર બાદ કેટલાક લોકોએ વિરાટ કોહલીની પ્રશંસા કરી છે તો કેટલાક લોકોએ તેને મીમ દ્વારા ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

 હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વીટ કરતા કહ્યુ કે, અમે અંત સુધી લડ્યા અને ક્યારેય હાર નથી માની પરંતુ આ રાત અમારી નહતી. 12th મેન આર્મી (ફેન્સ) તરફથી આ સીઝનના સપોર્ટ માટે તેમનો આભાર. અમે આવતા વર્ષે ફરી પરત ફરીશુ અને આ પડકારપૂર્ણ જોશ સાથે.

 પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લખ્યુ, બેંગ્લોર માટે અનુભવાય છે, વધુ રમત તે ૧૦ ખેલાડીઓ સાથે રમ્યા અને આજે તેની કિંમત પણ ચુકવી છે. લકી ચાર્મ રમવુ છે તો કર્ણ શર્માથી સારૂ કોણ હોઇ શકે. ફેન્સે પણ સોશિયલ મીડિયા પર મીમ શેર કર્યા હતા.

(3:16 pm IST)