Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પાકિસ્તાનના સ્પીનર મોહમ્મદ નવાઝને કોરોનાઃ ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં નહિ રમી શકે

રાવલપિંડીમાં ત્રણ વન-ડે, લાહોરમાં પાંચ ટી-૨૦ મેચો રમાશે

પાકિસ્તાનના લેફટી સ્પિનર  મોહમ્મદ નવાઝને કોરોના પોઝિટિવ આવતા તે ન્યૂઝીલેન્ડ સામે આગામી વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. ૨૭ વર્ષના નવાઝે ઇસ્લામાબાદની ટીમની હોટલમાં  ૧૦ દિવસ કવોરેન્ટાઇન રહેવુ પડશે. આવતીકાલે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પહોંચશે.  ટીમ ૧૭, ૧૯ અને ૨૧ સપ્ટેમ્બરે રાવલપિંડીમાં ત્રણ વનડે રમશે.  લાહોરમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટી ૨૦ શ્રેણી રમાશે. પાકિસ્તાન ટીમના અન્ય તમામ સભ્યો નેગેટિવ આવ્યા છે.

(3:30 pm IST)