Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

૩૦ થી ૪૦ રન વધુ બન્‍યા હોત તો રિઝલ્‍ટ કંઇક અલગ જ હોતઃ ૪૦ ઓવર સુધી મેચ અમારા હાથમાં હતીઃ રોહિત

કેચ છુટયાએ ભારે પડયા, નબળી ફિલ્‍ડીંગ પણ હારનું કારણ :હવે બુધવારે બીજો મુકાબલો

નવી દિલ્‍હી :  ટીમ ઇન્‍ડિયાના કેપ્‍ટન  રોહિત શર્માએ કહ્યું  જો ૩૦ થી ૪૦ વધુે રન બન્‍યા હોત તો તેનાથી મેચમાં ઘણો ફરક પડયો હોત. ૯ નંબર સુધી બેટીંગ લાઇનઅપ હોવા છતા અમારૂ પ્રદર્શન નિરાશા જનક રહ્યું.

 અમારા બેટરોએ સ્‍પિનરો સામે સાવધાની પુર્વક રમવું પડશે. પિચ થોડી પડકારા જનક હતીે બોલ રોકાઇને આવી રહ્યા હતા. છેલ્લી ય ઓવરમાં અમે પકડ ગુમાવી દીધી અને દબાણમાં આવી ગયું. કેએલ રાહુલે મેહદીના કેચ છોડયા હતા. નબળી ફિલ્‍ડિંગ સાથે બોલિંગ કરવી જે અમને મોંઘી પડી. અમારા બોલરોએ સારસ બોલીંગ કરી હતી.

ત્રણ મેચોની સિરીઝનો બીજો મેચ હવે બુધવારે રમાશે.

(3:44 pm IST)