Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ત્રીજા અને અંતિમ વન-ડેમાં ભારતે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૨ રન ફટકાર્યા : વિરાટ - હાર્દિક - જાડેજાની ફિફટી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ત્રીજા અને અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ દાવ લેતા ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૨ રન ફટકાર્યા છે. કેપ્ટન વિરાટ કોહલીએ ૬૩ રન બનાવ્યા હતા. જયારે હાર્દિક અને જાડેજાએ રંગ રાખ્યો હતો. હાર્દિકે માત્ર ૭૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૯૨ અને રવિન્દ્ર જાડેજાએ ૫૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૬૬ રન ફટકાર્યા હતા. બંને નોટઆઉટ રહ્યા હતા. આજના મેચમાં ટીમ ઈન્ડિયામાં ૪ ફેરફાર કરાયા છે. નટરાજનને વન-ડે કેપ આપવામાં આવી છે. જયારે શુભમનગીલ, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરાયો છે. જયારે શમી, ચહલ, મયંક અને સૈનીને આરામ અપાયો છે.

(1:08 pm IST)