Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જામનગરનાં મોટા લખીયાના આંબલીયા પરિવારમાં શુભલગ્નચિ. ભાનુ ચિ. ડાડુ ચિ. રોહિત ચિ. જોશના

જામનગરઃ જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાનાં મોટા લખીયા ગામના અ.સૌ. ભારતીબેન અને મુરૂભાઇ આલાભાઇ આંબલીયાનાં સુપુત્રી ચિ. ભાનુના શુભલગ્ન લાખાસર નિવાસી અ.સૌ. ભીનીબેન તથા સવાભાઇ નારણભાઇ છૈયાના સુપુત્ર ચિ. ડાડુ સાથે તા. ૧૦ ને શુક્રવારે નિરધારેલ છે.

જયારે સુપુત્ર ચિ. રોહિતના શુભલગ્ન ખંઢેરા નિવાસી અ.સૌ. સીંભીબેન અને રાયદેભાઇ મેરામણભાઇ ભોચીયાની સુપુત્રી ચિ. જોશના સાથે તા. ૧૧ ને શનિવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ કાલે તા. ૧૦ ને શુક્રવારે બપોરે ૧ર વાગ્‍યે મોટા લખીયા વાડી વિસ્‍તાર તા. લાલપુર, જી. જામનગર ખાતે રાખેલ છે.

(1:00 pm IST)