વઢવાણ : નિવૃત શિક્ષક દ્વારા શાળાને દાન
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા-ખોડુ, તાલુકો -વઢવાણ ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા નીકુભા ભુરૂભા પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત્। થઇ રહ્યા છે .ત્યારે શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિકુભા પરમારને આ વર્ષે રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક નો પારિતોષિક પ્રાપ્ત થયેલ. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલ રૂપિયા ૫૧,૦૦૦ ના પુરસ્કાર ની રકમ આ શિક્ષકે શાળાને અર્પણ કરી. જેમાં વોટર કુલર, ફ્રીજ તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળાને સેનેટાઈઝ કરવા માટે સ્પ્રે પંપ વગેરે મળીને રૂપિયા એકાવન હજાર શાળાને દાન આપેલ છે. શુભેચ્છા પ્રસંગે શાળાના ઈન્ચાર્જ આચાર્ય રાજભા ચિત્રા તથા શાળા પરિવારે શાલ ઓઢાડી સન્માનપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી તે પ્રસંગની તસ્વીર.