News of Saturday, 31st July 2021
સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ :સતત બીજા વર્ષ રહેશે બંધ
તરણેતર મંદિરમાં ધ્વજા રોહણ પણ મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવશે.
સુરેન્દ્રનગર : કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વર્ષ સુરેન્દ્રનગર જીલ્લા માં સતત બીજા વર્ષે પણ લોક મેળાઓ બંધ રહેશે. કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામા આવ્યો છે.વિશ્વ વિખ્યાત તરણેતર મંદિરમાં ધ્વજા રોહણ પણ મર્યાદિત લોકોની હાજરીમાં કરવામાં આવશે
(11:58 am IST)