કચ્છ રત્ન અને દાનવીર કચ્છી શ્રી દામજીભાઈ એન્કરવાલાને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાની શ્રધ્ધાંજલિ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૩૧ : જાણીતા ઉદ્યોગપતિ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ કચ્છી જૈન રત્ન તેમજ દાનવીર દામજીભાઈ લાલજીભાઈ એન્કરવાલાનું અવસાન થતાં સમગ્ર કચ્છમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, ગ્રામીણ વિકાસ, પર્યાવરણ અને સદૈવ ગૌ માતા ની સેવા નાં સદૈવ ભેખધારી શ્રી દામજી નાની વયે ઉદ્યોગમાં સફળતા મેળવી ‘એન્કર' ઈન્ડસ્ટ્રીઝને દેશ વિદેશમાં સફળતા ની ચરમસીમાએ પહોંચાડી છે, કચ્છ ની ઉપર આવી પડેલ કોઈપણ આફત માં કચ્છનાં બાં-બેલી બની પોતે અને તેમનાં મિત્ર મંડળ તરફથી સહાય અને સેવા કરી છે, આરોગ્ય સેવા અને જીવદયા તેમનો સેવા મંત્ર હતો. નર્મદા યોજના સહિત કચ્છનાં દરેક પ્રશ્નો માં તેઓ માર્ગદર્શક હતા. તેમની ખોટ કચ્છ ને માટે વણ પુરાયેલી રહેશે, કચ્છ તેમનું ઋણી રહેશે તેવું તેમનાં દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે મોરબી કચ્છ નાં સાંસદ અને ગુજરાત ,પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.