ઉપલાદાતારની જગ્યા ખાતે નવલા નોરતાની ઉજવણી ગરબી મંડળની બાળાઓ રાસની રમઝટ બોલાવી
જુનાગઢ : કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યામાં નવલા નોરતાના ત્રીજા દિવસે ધંધુસર ગામની ગરબી મંડળની બાળાઓએ દાતારની જગ્યા પર આવી દાતારબાપુના દર્શને પધારી દાતારબાપુના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે પધારેલ તમામ બાળાઓએ દાતાર બાપુની પવિત્ર જગ્યામાં માતાજીના ગુણગાન ગાઇ અને ગરબે ધુમી હતી. તેઓના ગરબે ધુમવાથી દાતાર પર્વતપર જાણે સાક્ષાત નવદુર્ગા ગરબે રમવા આવી હોય અને મન મુકીને રમી હોય તેવું દિવ્ય વાતાવરણ ઉભુ થયુ હતુ.
આ પ્રસંગે ઉપલા દાતારની જગ્યાના મહંત પુજય ભીમ બાપુએ પધારેલા તમામ બાળાઓને આશીર્વાદ સાથે પ્રસાદીભેટ આપી હતી. તેમજ તમામ બાળાઓ તેમજ પધારેલા દર્શનાર્થિઓ માટે સુંદર મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરી હતી. આ પ્રસંગે પધારેલ સર્વે ગરબી મંડળની બાળાઓ દાતારની જગ્યામાં માતાજીના ગુણગાન ગાઇ ગરબે ધુમી તેમજ દાતારબાપુના દર્શન અને પ્રસાદીનો લાભ લઇ ધન્ય બની હતી.