સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

ઉનાના નવાબંદરમા એસ.પી.નોં લોકદરબાર

ઉનાઃ તાલુકાનાં નવાબંદર ગામે નવાબંદર મરીને પોલીસ સ્ટેશનનાં સંકુલમાં ગીરસોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો જેમાં જીલ્લાનાં ડી.વાય.એસ.પી.બાંભણીયા, સી.પી.આઇ મસી, એલ.સી.બી.પી.આઇ.ચાવડા, નવાબંદર મરીન પોલીસના પી.એસ.આઇ ચૌહાણ હાજર રહેલ હતા નવાબંદર મરીન પોલીસ સ્ટેશન દરિયા કિનારે આવેલ હોય દારૃ, જુગાર, ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા રજૂઆત કરેલ દરિયાકિનારાના હિસાબે અન્ય દેશો અને રાજયનાં અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રગ્સ કે કોઇ નશાયુકત પદાર્થ દાખલ ન કરે તે માટે દરીયામાં મરીન પોલીસ દ્વારા બોટનું પેટ્રોલીંગ વધારવું નાકા ઉપર કડક ચેકીંગ કરવા રજૂઆત કરેલ હતી. જીલ્લા પોલીસ વડા જાડેજાએ પણ તમામ લોકોને પોલીસના મિત્ર બની ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર દેશને બરબાદ કરનારની માહિતી આપવા, સહકાર આપવા જણાવેલ હતું લોક દરબાર યોજાયો તે તસવીર

(12:39 pm IST)