જામજોધપુર તાલુકાના ભરડકી ગામમાં પૂર્વ ઉપ સરપંચ પટેલ યુવકની હત્યા : વૃદ્ધ દંપતી અને તેના બે પુત્રોને ઇજા : પરિવારના કૌટુંબિક સભ્યો વચ્ચે દિવાલ બાબતે ઝઘડો થતાં બનાવ બન્યો
( મુકુંદ બદીયાણી દ્વારા )જામનગર તા.૩૦ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામમાં પૂર્વ ઉપ સરપંચ પટેલ યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.
જામજોધપુર પંથકના નાની ભરડકી ગામે રહેતા પટેલ પરિવાર પર ચાર શખ્સોએ જૂની અદાવતને લઈને બોથડ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો
આ હુમલામાં પટેલ પરિવારના લાભુબેન ધરમશીભાઈ સાંગાણી( ઉવ. 75), ગોવિંદભાઇ ધરમશીભાઈ સાંગાણી (ઉવ. 48), સાંગાણી જયંતીભાઈ ધરમશીભાઈ (ઉવ. 45) પર ચાર શખ્સો તૂટી પડ્યા હતા. જેમાં પટેલ પરિવારના વૃદ્ધ દંપતી અને તેના બે પુત્રોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ જયંતિભાઈએ દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. અને જામજોધપુરના શેઠવડાળા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારના કૌટુંબિક સભ્યો વચ્ચે દિવાલ બાબતે ઝઘડો થતાં આ બનાવ બન્યો હતો ઉપરોક્ત તસવીરમાં મૃતક જયંતીભાઈ નજરે પડે છે.તસવીર:કિંજલ કારસરીયા,જામનગર