મોરબીમાં બસોના રૂટ બદલવા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક સમસ્યાના ઉકેલની માંગ
પાલિકાના પ્રમુખે જીલ્લા કલેકટરને રજૂઆત કરી
મોરબી,તા.૩૦ : મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા બારેમાસ જોવા મળતી હોય છે જેથી મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે આવતી એસટી બસોના રૂટ મચ્છીપીઠ રોડ પરથી ચલાવતા નવું જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરાઈ છે
મોરબી નગરપાલિકાના પ્રમુખ કે કે પરમાર દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે જુના બસ સ્ટેન્ડથી ઈદ મસ્જીદ નવો રોડ બનાવેલ છે જેથી હવ રાજકોટ, સોમનાથ અને કચ્છ જતી તેમજ રાજકોટ, કચ્છ તરફથી આવતી બસો જુના બસ સ્ટેશનથી ઈદ મસ્જીદ પાસેના મચ્છીપીઠ રોડ પરથી પસાર થાય તે રીતે નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ કરી છે આ રોડ પરથી એસટી બસો પસાર થતા ટ્રાફિક સમસ્યા હળવી થશે અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે જેથી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.