News of Thursday, 29th July 2021
મોરબીના વાવડી રોડ પર શ્રદ્દ્ધા પાર્કમાં રહેતા આધેડનો ગળેફાંસો ખાઈ આપધાત
પરિવારજનોમાં શોક ફેલાયો:મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
મોરબીના વાવડી રોડ પર શ્રાધ્ધા પાર્કમાં રહેતા આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ શ્રદ્દ્ધા પાર્કમાં રહેતા દિનેશભાઈ મોહનભાઈ સતવારા (ઉ.૫૦) એ ગત તા. ૨૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે તો મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
(10:42 pm IST)