News of Thursday, 29th July 2021
એક દિવસ જૂનાગઢ જિલ્લો કોરોના મુકત રહ્યા બાદ કેશોદમાં ફરી નવો કેસ નોંધાયો
ર૪ કલાકમાં એક પણ દર્દી ડિસ્ચાર્જ નહિં
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૯: એક દિવસ જુનાગઢ જિલ્લો કોરોના મુકત રહ્યા બાદ ગઇકાલે કેશોદમાં ફરી નવો કેસ નોંધાયો હતો.
તા. ર૭ જુલાઇનાં રોજ એક પણ કોરોનાનો કેસ ન નોંધાતા જુનાગઢ જિલ્લો કોરોના મુકત થયો હતો.
બીજી લહેરમાં પ્રથમ વખત કોરોના કેસ ઝીરો થયાના ર૪ કલાક બાદ એટલે ગઇકાલે કેશોદ ખાતે કોરોના પોઝિટીવ કેસની એન્ટ્રી થઇ હતી આમ એક કેસનો ઉમેરો થતા સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું હતું.
બુધવારે એક પણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નહિં અને સદનસીબે એક પણ દર્દીનું મોત પણ થયું ન હતું.
(12:57 pm IST)